| આ ગ્રંથમાં ‘જીવનસંસ્કૃતિ’ (પ્ર.આ.1939, પુનર્મુદ્રણ 1946), ‘ગુજરાતમાં ગાંધીયુગ’ (ઈ.સ.1965ના સપ્ટેમ્બરમાં મુંબઈ યુનિવર્સિટીને આશ્રયે આપેલી શ્રી ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં પાંચ વ્યાખ્યાનો - પ્રગટ ઈ.1968) અને ‘અવારનવાર’ના બાકીના લેખો પુનર્મુદ્રિત થાય છે.
ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા આ ગ્રંથાવલિમાં પ્રકાશિત કરવાની સંમતિ આપવા માટે અમે મુંબઈ યુનિવર્સિટીના આભારી છીએ.
‘અવારનવાર’(1956)ના 70 લેખો પૈકી 50 લેખો આ ગ્રંથાવલિના ત્રીજા ગ્રંથમાં પ્રગટ કરેલા છે. એનો 4થો લેખ નદીમુખેનૈવ સમુદ્રમાવિશેત્ । ‘જીવનલીલા‘માં અને 48મો લેખ ‘કયો માર્ગ સ્વીકારીશું’ ‘જીવનવ્યવસ્થા’માં લેખકે પોતે પ્રગટ કરેલા હોવાથી બાકીના 18 લેખો આ ગ્રંથમાં ‘પ્રકીર્ણ’ શીર્ષકથી (‘અવારનવાર-2’ તરીકે જેનો નિર્દેશ ત્રીજા ગ્રંથના ‘સંપાદકીય’માં કરેલો) પ્રગટ કર્યો છે.
|