| આ ગ્રંથમા કેળવણીનાં અંગોની ચર્ચા કરતો ગ્રંથ ‘જીવનવિકાસ’ (ઈ.1936) પુનર્મદ્રિત કર્યો છે. ઉપરાંત વિવિધ સામયિકોમાં પ્રગટ થયેલા તેમ જ હસ્તપ્રતોમાં જળવાયેલા લેખકના કેળવણીવિષયક અનેક લેખોમાંથી પસંદ કરીને ‘રાષ્ટ્રીય શિક્ષણ વિશેના અગ્રંસ્થ લેખો’ એ શીર્ષકથી અહીં પ્રગટ કરવામાં આવ્યા છે. પૃષ્ઠસંખ્યાની મર્યાદાને કારણે આમાં નહીં સમાવાયેલા અન્ય લેખો હવે પછીના ગ્રંથમાં પ્રગટ થશે.
કાકાસાહેબના વિવિધ રસો અને જીવનશ્રદ્ધાઓ વારંવાર ઓતપ્રોત થઈને આવતાં હોય છે એટલે ચોક્કસ વિષય અનુસાર એમના લેખોનું વર્ગીકરણ કરવું તે મૂંઝવતો સવાલ છે. તેમ છતાં શક્ય તેટલું વર્ગીકરણ કરવા પ્રયાસ કર્યો છે. જોકે આમાં અભિપ્રાયભેદને ખાસ્સો અવકાશ રહે.
|